તારીખ : ૧૬ માર્ચ, ૨૦૨૬
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મા. શ્રી મુકેશભાઈ મલકાણ જણાવે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા હરિયાણાના સમાલખા ખાતે ૧૩ થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી. આ પ્રતિનિધિ સભામાં પૂજ્ય સરસંઘચાલક માન. શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ માન. શ્રી દત્તાત્રેય હોસબાલે સહિત તમામ છ સહ સરકાર્યવાહ તેમજ વિવિધ સંગઠનોના કુલ ૧૪૯૩ કાર્યકરો અપેક્ષિત હતા જેમાંથી ૧૪૩૮ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકની શરૂઆત ભારત માતાને પુષ્પાંજલિ તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સમાજજીવનના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહી તાજેતરમાં અવસાન પામેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ શ્રદ્ધાંજલિમાં પૂ. સદગુરુદાસ મહારાજ (શ્રી વિજયરાવ દેશમુખ), ડૉ. માધવ ગાડગિલ (પર્યાવરણ વૈજ્ઞાનિક), શિવરાજ પાટીલ (ભૂતપૂર્વ ગૃહમંત્રી), કે. એન. દીક્ષિત (પદ્મભૂષણ પુરાતત્વવિદ), અજિત પવાર, ધર્મેન્દ્ર (ધરમસિંગ) દેઓલ, સુલક્ષણા પંડિત, શ્રીમતી સિમોન દુનોયર ટાટા તેમજ સૌરાષ્ટ્રના કિશોરભાઈ કોટક અને હસમુખભાઈ પંડ્યા સહિત મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા.
દેશભરમાં હાલમાં ૫૫,૬૮૩ સ્થળો પર કુલ ૮૮,૯૪૯ દૈનિક શાખાઓ કાર્યરત છે. ગયા વર્ષે ૫૧,૭૪૦ સ્થળો પર ૮૩,૧૨૯ શાખાઓ હતી. એટલે કે એક વર્ષમાં ૫,૮૨૦ શાખાઓનો વધારો નોંધાયો છે.
તે ઉપરાંત
૩૨,૬૦૬ સાપ્તાહિક મિલન
૧૩,૨૧૧ માસિક મિલન
દેશભરમાં ચાલી રહ્યા છે.
સૌરાષ્ટ્ર પ્રાંતમાં
૧ મહાનગર
૫૦ નગર
૧૪ જિલ્લા
૧૧૭ તાલુકા
આવેલા છે.
સૌરાષ્ટ્રમાં હાલમાં
૨૯૪ સ્થળોએ ૬૦૧ દૈનિક શાખાઓ
૫૯૯ સાપ્તાહિક મિલન
૩૨૩ માસિક મિલન
ચાલી રહ્યા છે.
આગામી વર્ષમાં સમગ્ર દેશમાં કુલ ૯૬ પ્રશિક્ષણ વર્ગો યોજાનાર છે.
સૌરાષ્ટ્રમાં ૧૬ મે ૨૦૨૬ થી ૧ જૂન ૨૦૨૬ દરમિયાન સંઘ શિક્ષા વર્ગ અંજાર ખાતે યોજાનાર છે.
સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૫ હિન્દુ સંમેલનો યોજાયા છે.
તેમાં
૧૪૮ ગ્રામ્ય કક્ષાએ
૧૬૭ શહેરી કક્ષાએ
સંમેલનો થયા હતા.
આ સંમેલનોમાં કુલ ૧,૭૪,૮૯૮ લોકો જોડાયા હતા જેમાંથી ૭૫,૯૫૨ બહેનોનો સહભાગ રહ્યો હતો.
આ કાર્યક્રમોને સફળ બનાવવા ૪,૪૬૦ સમાજજનોએ સહયોગ આપ્યો હતો.
સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ઘર સંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં
૧૪,૫૧,૧૮૫ ઘરોમાં સંપર્ક કરવામાં આવ્યો છે.
આ માટે કુલ ૧૯,૧૭૫ કાર્યકરો કાર્યરત રહ્યા હતા જેમાં
૧,૧૩૪ બહેનો
૧,૬૯૭ વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ
જોડાયા હતા.
આ દરમિયાન પંચ પરિવર્તન વિષયે સમાજ સાથે ચર્ચા કરી લોકોને સમાજકાર્યમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
સંઘની વેબસાઈટ દ્વારા માત્ર જાન્યુઆરી ૨૦૨૬માં ૨૬,૪૪૫ લોકોએ સંઘ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ગુરુ તેગબહાદુરજીના ૩૫૦મા બલિદાન વર્ષ નિમિત્તે દેશભરમાં ૨૦૦૦થી વધુ કાર્યક્રમો યોજાયા.
વંદે માતરમની ૧૫૦મી જયંતિ નિમિત્તે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો થયા.
આગામી વર્ષમાં સંતશિરોમણિ સદગુરુ શ્રી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મ જયંતિ નિમિત્તે દેશવ્યાપી કાર્યક્રમો યોજાશે.
સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ પોતાના પ્રતિવેદનમાં સૌરાષ્ટ્ર-કચ્છના અનેક કાર્યોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના ખાંભલા ગામમાં મધુવન પ્લાન્ટેશન પ્રકલ્પ હેઠળ
૩૦ વીઘા જમીન પર
૧૩૨ જાતિના
કુલ ૬૫૦૦ છોડ રોપવામાં આવ્યા છે.
આ માટે નાગરિકોએ લગભગ ૧૫ લાખ રૂપિયાનું સહયોગ આપ્યો હતો.
રાજકોટ મહાનગર અને ગોંડલ જિલ્લામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ (૧૩ એપ્રિલ ૨૦૨૫) નિમિત્તે એક જ દિવસે ૧૭૦ નિઃશુલ્ક આરોગ્ય શિબિરો યોજાઈ હતી.
૩૩૭ ડોક્ટરો
૭૮૫ સ્વયંસેવકો
ની મદદથી આશરે ૯૦૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
કચ્છમાં ૧૬-૧૮ જૂન ૨૦૨૫ દરમિયાન ગૌ-સેવા સંગમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આશરે ૧૨,૦૦૦ લોકો હાજર રહ્યા હતા જ્યારે ૩૮૦ કાર્યકર્તાઓ સેવા કાર્યમાં જોડાયા હતા.
સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ જણાવ્યું હતું કે સંતશિરોમણિ સદગુરુ શ્રી રવિદાસજીએ સમાજમાં સમરસતા, ભક્તિ અને માનવ એકતાનો સંદેશ આપ્યો હતો. તેમણે જન્મના આધારે ઊંચ-નીચના ભેદને નકારી સમાજમાં સમાનતા અને સેવાભાવનો માર્ગ દર્શાવ્યો હતો.
આજના સમયમાં જ્યારે સમાજને જાતિ અને વર્ગના આધારે વિભાજિત કરવાની શક્તિઓ કાર્યરત છે ત્યારે સંત રવિદાસજીના જીવનસંદેશને સમજીને દેશ અને સમાજની એકતા માટે કાર્ય કરવાની જરૂર છે.
Comments
QTStNCwWZDNSkaLQbJAUQUa
HuXQGrFEMgWWwAAUbsiA
VWPwtDGLxAddnsiyYaUhuy
VWPwtDGLxAddnsiyYaUhuy
PhXQMHmyjfSzzWFy
sMtiBUCOxdfZhJbw
FrwBPGjJUSvNrqndZG
ArKLdfKDdYMATHFWm