સમાજ સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે — ડૉ. મોહનજી ભાગવત
સંઘ શતાબ્દી વર્ષના નિમિત્તે મુંબઈમાં આયોજિત વ્યાખ્યાનમાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતજએ જણાવ્યું કે સંઘ સમાજરૂપ સંગઠન ઊભું કરવા ઈચ્છે છે. સમાજ સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં સાચું પરિવર્તન આવશે.
નેતા–નારા–નીતિ–પાર્ટી–અવતાર–સરકાર–વિચાર–તત્ત્વજ્ઞાન — આ તમામ બાબતો સહાયક છે, પરંતુ સમાજ આ બધાનો સાચો માલિક છે. તેથી મૂળરૂપે માલિક એટલે કે સમાજ જાગૃત થવો અત્યંત આવશ્યક છે.