રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીનું નિધન
27 જૂન 1951 – 15 માર્ચ 2026
રાષ્ટ્ર સેવિકા સમિતિની વરિષ્ઠ પ્રચારિકા શ્રી રેખા રાજે જીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર, સમાજ અને સંગઠનની સેવા માટે સમર્પિત કર્યું હતું.
નારી શક્તિના જાગરણ, સંસ્કાર સિંચન, વ્યક્તિત્વ નિર્માણ તથા સમાજના સંગઠન માટે તેમણે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. તેમની સાદગી, તપસ્યા અને રાષ્ટ્રભક્તિ અનેક કાર્યકર્તાઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહી છે.
તેમનું સમગ્ર જીવન સંગઠન અને સમાજકાર્ય માટેની અવિરત સાધનાનું ઉત્તમ ઉદાહરણ છે.
અમે સૌ તેમના પવિત્ર સ્મરણોને નમન કરીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
|| ૐ શાંતિ ||